રિપોર્ટર: સમીર ખોખર ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવતો મોટા ખુટવડા થી ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં પહોંચી ગયો છે. ગામો માટે જીવનરેખા ગણાતો આ માર્ગ હવે વાહનચાલકો અને પગપાળા ચાલક માટે જોખમનું કુંજ બની ગયો છે.
રોડમાં ખાડા કે ખાડામાં રોડ — સ્થિતિ ભયાનક
સ્થાનિકોના જણાવ્યા મુજબ:
રસ્તા પર ઊંડા ખાડા,
ધોવાઈ ગયેલા નાળા,
સ્થળ સ્થળે તૂટી પડેલા ભાગો,
પાણી ભરાઇ જવાથી સર્જાતા જોખમો
આટલા વધ્યા છે કે સામાન્ય બુલેટ, સ્કૂટર કે બાઈક ચલાવવું પણ જોખમી બની ગયું છે.ઘણો વખત ટ્રેક્ટર પણ ખાડામાં ફસાઈ જાય છે, તો બાઈકચાલકોને સંતુલન ગુમાવવાની ભીતી સતત સતાવે છે.
વરસાદી ઋતુમાં માર્ગ પર પસાર થવું = “મોતને આમંત્રણ”
ગામલોકો કહે છે કે વરસાદી સિઝનમાં આ રસ્તા પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવા જેવું બની જાય છે.પાણી ભરાઈ જતા ખાડા દેખાતા નથી અને નાના-મોટા અનેક અકસ્માતો પહેલેથી થઈ ચુક્યા છે.
ગામલોકોનો વેદનાભર્યો અવાજ
સ્થાનિકોનું ઘરદાર વેદનાપૂર્ણ કહેવું છે:
“રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતું નથી.”
“બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે.”
“ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે, તો બાઈકવાળાની શું હાલત થતી હશે?”
“ખેતરમાંથી પાક લઈને જવું મુશ્કેલ છે, નાળા ધોવાઈ ગયા છે, રોડ તૂટી પડ્યો છે.”
એક રહેવાસીએ કટાક્ષ કરતાં જણાવ્યુંઃ
“તંત્ર સૂતું છે કે ગામલોકોના જીવની કિંમત જ નથી?”
રજુઆતો છતાં કામગીરી શૂન્ય – લોકોમાં રોષ ઉફાળે
ગામલોકોના કહેવાથી સ્પષ્ટ થાય છે કે:
અનેકવાર ગ્રામ પંચાયત, તાલુકા તંત્ર અને વિભાગને રજૂઆત થઈ ચૂકી છે.પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે..કોઈ મોટો અકસ્માત ન થાય ત્યાં સુધી તંત્ર જાગતું નથી, એવી કડવી ટીકાઓ લોકો કરી રહ્યા છે.
લોકોની માંગ: તાત્કાલિક મરામત અને રિસર્ફેસિંગ શરૂ કરવું જરૂરી
ગામલોકો, ખેડુતો અને વાહનચાલકોની એકસમાન માંગ છે કે:મુખ્ય માર્ગનું તાત્કાલિક રિસર્ફેસિંગ કરવું,ધોવાઈ ગયેલા નાળાઓનું પુનઃબંધાણ,ખાડાઓનું તાત્કાલિક ભરાણ અને સમગ્ર માર્ગને સુરક્ષિત બનાવવો એ હવે અનિવાર્ય છે.
તંત્ર હવે જાગશે કે નહિ, તે પ્રશ્ન લોકોના મનમાં ઉભો થયો છે.






