રિપોર્ટર – હર્ષ ભરડા, કેશોદ
ગીર સોમનાથ જિલ્લામાં સતર્કતા, ઈમાનદારી અને જાગૃત સમાજના નિર્માણ માટે દર વર્ષે સતર્કતા જાગૃતિ સપ્તાહ તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025 દરમિયાન ACB ગીર સોમનાથ અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહત્ત્વના અભિયાનમાં કોડીનારની શ્રી ભ.ભા. વિદ્યાલયે ઉત્તમ પ્રદર્શન કરતાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિએ શાળા, શિક્ષકો તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.
અભિયાન અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો, જેમાં જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં શાળાની વિદ્યાાર્થિની કામળિયા પ્રગતિબેન ભરતભાઈે અદભુત પ્રતિભા દર્શાવી પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રગતિબેનનું પ્રદર્શન માત્ર સ્પર્ધામાં જ નહીં, પરંતુ સમાજમાં સતર્કતા અને નૈતિક મૂલ્યો અંગે જાગૃતિ લાવવાનો સાક્ષાત્ ઉદાહરણ બની રહ્યું છે.
વિદ્યાર્થીનીની આ સફળતાના અવસર પર શાળાના આચાર્યશ્રી હરિસિંહ દાહુમા સાહેબ તથા સમગ્ર શિક્ષક મંડળે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષકમંડળે જણાવ્યું કે—
“પ્રગતિબેને દર્શાવેલી પ્રતિભા શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સકારાત્મક વાતાવરણનું પ્રતિબિંબ છે. આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપે છે.”
શાળાએ છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં સજ્જનતા, સતર્કતા, ભ્રષ્ટાચાર પ્રત્યે અણગમો અને કાયદાનું પાલન જેવા મૂલ્યો વિકસે તે માટે અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરેલી. તેનાં પરિણામ રૂપે આ મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાનું શાળા સંચાલન મંડળે જણાવ્યું.
ACB વિભાગ દ્વારા પણ શાળાના આ ઉત્તમ પ્રદર્શનને અભિનંદન પાઠવતા જણાવ્યું કે—
“યુવા પેઢીમાં સતર્કતા અને નૈતિક મૂલ્યો અંગે જાગૃતિ લાવવા શૈક્ષણિક સંસ્થાઓનો ફાળો અત્યંત મહત્વનો છે, અને શ્રી ભ.ભા. વિદ્યાલયે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.”
કોડીનારની આ શાળાએ માત્ર સ્પર્ધા જીતવી નહી, પરંતુ સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક અને નૈતિક મૂલ્યના ક્ષેત્રમાં નવી મિસાલ સ્થાપી છે.






