ગણતરી ના સમય અગાઉ આમ આદમી પાર્ટી ના નેતા અને દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના રાજકોટ અને જૂનાગઢ રોડ મુદ્દે નિવેદન આપી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા ત્યારે આ મુદ્દે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અરવિંદ કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો છે.
મહેસાણા ખાતે પધારેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
કેજરીવાલ ના નિવેદન મુદ્દે મીડિયા સાથે વાત કરતા કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે તમે ગુજરાત ની વાત કરતા પહેલા તમારું દિલ્હી અને પંજાબ જોઈ આવો.કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી તેમના રાજ્યો સંભાળી શકતી નથી.પંજાબ અને દિલ્હી ની હાલત જુઓ કેવી કરી મૂકી છે તેમ કહી કેજરીવાલ ને ટોણો માર્યો હતો.કેજરીવાલ પહેલા તેમના રાજ્યો નો વિકાસ કરે ત્યાર બાદ બીજા રાજ્યોમાં ઝાડુ મારવા નીકળે.કેજરીવાલ નુ ઝાડું ભલે ગુજરાતમાં એકાદ સીટ જીત્યું પરંતુ તેનાથી કોઈ ફેર નહીં પડે.ભાજપે કડીમાં 40,000 મત ની લીડ થી જીત્યું છે.આ પહેલાની દરેક ચૂંટણીમાં આપ કે કોંગ્રેસ દેખાયું નથી એટલે એક જ સીટ જીતીને તેઓ જે પ્રચાર કરે છે તેમને નિરાશ થવું પડશે કેમ કે આ ગુજરાત છે.






