અમદાવાદ માં રહેતા યુવકે અઢી મહિના પહેલા કડી તાલુકાના રંગપુરડા ગામની નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી જેની તપાસ કડી પોલીસ કરી રહી હતી ત્યારે પોલીસ ની તપાસમાં સનસનીખેજ ખુલાસો થવા પામ્યો છે.મૃતક યુવકે શરીરસબંધની લાલચમાં દલાલ યુવક ના બ્લેકમેલિંગ થી કંટાળી આત્મહત્યા કરી હોવાનો કડી પોલીસે ઘટસ્ફોટ કર્યો છે.
હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ બાવળા તાલુકાના યુવકે અઢી મહિના પૂર્વે નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકની લાશ કડી તાલુકાના રંગપુરડા નર્મદા કેનાલમાંથી મળી આવી હતી જે બાદ પોલીસ દ્વારા યુવકની લાશ પીએમ અર્થે ખસેડી લાશ પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં કાર્યવાહી દરમિયાન મોટો ઘટ સપોર્ટ સામે આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી.
અત્યારે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ બાવળા ના વતની રાકેશ પગી જેવો આર્કિટેકનો ધંધો વ્યવસાય કરી રહ્યા છે, તેમજ તેમના ભાઈ તુષાર બાવળા ખાતે પોતાના માતા પિતા તેમજ પત્ની અને બે દીકરીઓ સાથે રહી ધંધો વ્યવસાય કરી રહ્યો હતો,12/5/25 ના રોજ રાકેશભાઈ પગી રાત્રિના 11:00 વાગે પોતાના ઘરે અમદાવાદ પરિવાર સાથે હાજર હતા ત્યારે whatsapp ફેમિલી ગ્રુપમાં તુષાર નો મેસેજ આવ્યો હતો, તુષાર એ મેસેજમાં લખ્યું હતું કે મારા બંને ઢીંગલા પપ્પાનું નામ રોશન કરજો, અને તોફાન કરતા નહીં જેવો મેસેજ આવતા રાકેશને અજુગતું લાગ્યું હતું, તરત જ રાકેશ તુષારને પર્સનલ whatsapp માં મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે, તેની હાજરી ખાતરી કરવા માટે મેસેજ કરતા તુષારે મેસેજ કરીને જવાબ આપ્યો હતો કે હું બહાર છું ટેન્શન લેશો નહીં જેવું કહેતા રાકેશે મેસેજમાં કહ્યું હતું કે તું ઘરે જા, જે બાદ થોડા કલાકો બાદ રાકેશે
તુષાર ને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતા તુરંત જ રાકેશ ઘરની બહાર નીકળી તેની શોધ કોણે હાથ ધરી હતી અને સગા વાલા ને જાણ કરી શોધવાની તજવીજ હાથ ધરી હતી.
13/5/25 ની રાત્રીએ રાકેશ તેમજ તેના પરિવારજનો તેની શોધખોળ કરતાં કરતાં કડી રંગપુરડા નર્મદા કેનાલ નજીક પહોંચ્યા હતા જ્યાં તુષારની ગાડી મળી આવી હતી જ્યાં ગાડી નંબર GJ 38 BF 0150 મળી આવતા રાકેશ તેમજ તેના પરિવારજનોએ તેની શોધ કોણે હાથ ધરી હતી પરંતુ તેની લાશ નર્મદા કેનાલમાં ધરતી જોવા મળી હતી. જે બાદ રાકેશ દ્વારા કડી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે કરી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાની મદદથી તુષાર ની લાશને બહાર કાઢી પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાવી લાશને પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસને શંકા પડી હતી જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યાં તપાસમાં તુષાર અને મૂળ રાજકોટના રહેવાસી અને અત્યારે ઓઢવ અમદાવાદ ખાતે રહેતો હાર્દિક હર્ષદભાઈ ઠાકર અને સ્નેહલ રમેશભાઈ ગોહિલ પરિચિતમાં હતા જ્યાં હાર્દિક કંઈ કામ ધંધો કરતો ન હતો અને હાર્દિક તેમજ સ્નેહલ સાથે એક જ મકાનમાં રહેતા હતા તેમ જ સ્નેહલ કોલ ગર્લ અને દેહ વેપારનો ધંધો કરતી હતી, હાર્દિક સ્નેહલને ગ્રાહકો લાવવા માટે મદદ કરતો હતો અને જે પણ પૈસા આવે તે બંને જણા ભાગે વેચી લેતા હતા.
તુષાર અવારનવાર સ્નેહલ પાસે ગ્રાહક તરીકે જતો હતો જ્યાં તુષાર ગત 12 મેના રોજ તુષાર એ હાર્દિકને કહ્યું હતું કે સ્નેહલને અમદાવાદના થલતેજ પાસે આવેલ શાલીગ્રામ હોટલમાં મોકલી આપવાનું કહ્યું હતું જ્યાં સ્નેહલ શાલીગ્રામ હોટલમાં પહોંચી હતી સ્નેહલ અને તુષાર બંને જણા હોટલમાં સાંજ સુધી રોકાયા હતા જ્યાં હાર્દિક તે હોટલ ઉપર આવી પહોંચ્યો હતો અને હાર્દિક તેમજ સ્નેહલને સાથે જોતા હાર્દિક અને તુષાર અને ટેલિફોનિક વાતચીત થઈ હતી. જ્યાં હાર્દિકે whatsapp ઉપર તુષારને બે રેકોર્ડિંગ મોકલ્યા હતા, જે રેકોર્ડિંગ સાંભળતા હાર્દિક અને તુષાર વચ્ચે થયેલી વાતચીત સાંભળવા મળી હતી જ્યાં હાર્દિક તુષાર ને કહી રહ્યો હતો કે, સ્નેહલને હોટલમાં લઈ જવા બાબતે વાંચી થઈ રહી હતી જ્યાં હાર્દિક તુષાર ને કહી રહ્યો હતો કે તું સ્નેહલને કોઈ શેઠ નું નામ લઈ તું હોટલમાં લઈ ગયો હતો, તે મારી સાથે વિશ્વાસઘાત કરેલો છે હું તને કોઈ દિવસ માફ નહીં કરું.
વધુમાં હાર્દિક તુષાર ને કહી રહ્યો છે કે, હવે સ્નેહલને મારી સાથે રાખવાની નથી, તું તારા ઘરે સ્નેહલને લઈ જા, અને સ્નેહલને તું તારા ઘરે રાખજે તેવું કહેતા તુષારે હાર્દિક પાસે માફી માગતો હતો, હાર્દિક સ્નેહલને તુષારના ઘરે લઈ જવા માટે જીદ પકડે છે જ્યાં તુષાર આજીજી હાર્દિક પાસે કરે છે, હાર્દિક કહે છે કે સ્નેહલને જગ જાહેર તને સોંપી દઉં છું અને જ્યાં હાલી જાઓ ત્યાંથી પાછો વળતો નથી, તુષાર હાર્દિક પાસે આજીજી કરતો રહે છે અને આવી વાતમાં ફેમિલીને ઇન્વોલ નહીં કરવાનું કહેતો રહે છે, વારંવાર હાર્દિક ધમકીઓ આપતો રહે છે તુષારને તો તુષારે કહ્યું કે હું તો મરી જાઉ તો હાર્દિક કહે છે કે તું મરી જાય તો પણ મને કંઈ ફરક પડતો નથી આવા રેકોર્ડિંગ મળી આવ્યા હતા જ્યાં તુષાર નો મોબાઇલ ચેક કરતા whatsapp મેસેજ ચેટ મળી આવ્યા હતા.
તુષાર whatsapp થી તુષારે હાર્દિકને મેસેજ કરેલો કે,મેં કોઈ જ વિશ્વાસઘાત કર્યો નથી જો હું સ્નેહલને ડાયરેક્ટ મળું તો તમે મારું પેમેન્ટ લો નહીં એટલે આવી રીતે પ્લાન કરવો પડ્યો હતો, અને જો મારે એવું હોય તો હું ઘરે કસ્ટમરની જેમ આવતો ત્યારે જ હું ના કહું કે મારે જવું છે, અમે લોકો મળવા આવશું તારે જે પણ હોય તું કેજે, વિશાલ ની ગાડી લઈને કે ડ્રાઇવર લઈને તને મળવા આવશું, સવાર નહીં તારા હોમ પાસે વાતચીત કરીશું, તારા હોમ ઉપર પહોંચ એટલે અમે કાર લઈને આવીએ, ડાયરેક્ટ હોમ ઉપર આવું તો સારું લાગે નહીં તેવું હાર્દિકે મેસેજ કરીને જણાવેલ.
તુષાર ફરીથી હાર્દિકને મેસેજ થી જવાબ આપે છે કે, ભાઈ ટાઈમ લાગશે હું રસ્તામાં છું અને આ બધું ઘરમેળે પતાવો તો સારુ, હું રાત્રે આવું તો ઘરે શું જવાબ દેવાનો? સવાર શાંતિથી રાખો આપણે બેસીને ચર્ચા કરીશું, આવી મેટર ફેમિલી ઇન્વોલ કરાય નહીં, બધી બાજુ ખરાબ લાગે ભાઈ એમ વાત નથી, બટ રાત્રે ઘરે આવું તો મારે શું કહેવું ઘરે, જે છે એ તમને વિશ્વાસ આવે કે ન આવે એટલે તમારે મોટું કરવું છે, સવારે મળવાનું રાખો ને તો સારું મારે બહુ લેટ થઈ ગયું છે, મારે બહુ લેટ થઈ જવાય છે અત્યારે સવારે 7:00 વાગ્યે ઘરે આવી જઈશ, ભાઈ મારાથી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો, સોરી બ્રધર હું દુનિયા છોડી દઉં છું, મારી ઢીંગલીને સાચવજો કઈ પ્રોબ્લેમ ન થાય તે જોજો તેવું કહીને તુષાર એ આત્મહત્યા કરી હતી જે બાદ પોલીસ દ્વારા હાર્દિક ઠાકર ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






