અરવલ્લી
ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તેવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં ભિલોડા પંથકમાં વરસાદ થી ધોધ જીવંત બન્યા છે.
સીઝનમાં પહેલીવાર સુનસર ધોધ જીવંત બન્યો છે. સુનસર ધોધ નો આહલાદક નયનરમ્ય નજારો સામે આવ્યો છે.અરવલ્લી ની ગિરિમાળા થી 500 ફૂટ ની ઊંચાઈથી વહેતા ધોધ નો અદ્ભુત નજારો સામે આવ્યો છે.દર વર્ષે પ્રવાસીઓ સુનસર ધોધ જીવંત બને તેની રાહ જોતા હોય છે તેવામાં ભિલોડા થી 12 કિલોમીટર દૂર મુનાઇ ગામ પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલો છે ધોધ જેમાં નાહવાની મજા લેવા લોકો દૂર દૂર થી આવતા હોય છે.






