વીજ કરંટ થી મોત – એક જ ઘરના ત્રણ વ્યક્તિઓ નું મોત

SHARE:

બનાસકાંઠા….

 

  બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ગોઝારી ઘટના સામે આવી છે.વીજ કરંટ લાગતા એક જ પરીવાર ના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવતા પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

   વાવ તાલુકાના ધરાદર ગામમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.ખેડૂત પરિવાર રોજિંદા સામાન્ય કામ માટે ખેતરમાં ગયો હતો ત્યારે ઘટના ઘટી હતી.ખેતરમાં કામ અર્થે ગયેલા પુત્ર અને માતા પિતા ને વીજ કરંટ લાગતા પરિવારના ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.પ્રાથમિક તારણમાં જ્યારે પરિવાર ના સભ્યો ખેતરમાં ગયા હતા ત્યારે ત્યાં વીજલાઇન માં ફોલ્ટ થયો હોવો જોઈએ જેથી અચાનક કરંટ ફેલાયો અને કામ કરતા માતા પિતા અને પુત્ર ત્રણેય વ્યક્તિઓને વીજ કરંટ લાગ્યો હતો.ત્રણેય મૃતકો ના મૃતદેહ ને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા.

   એકીસાથે એક જ પરિવારના ત્રણ સભ્યો ના મોત થતા પરિવાર તેમજ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!