જૂનાગઢ…

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ના ઘેડ પંથકમાં પ્રિ મોન્સુન કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને ગ્રાન્ટ ના કરોડો રૂપિયા ચાઉં થઈ ગયા હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે.
માંગરોળ ના ઘેડ પંથકમાં પ્રિ મોન્સુન કામગીરી માટે સરકાર દ્વારા કરોડો ની ગ્રાન્ટ ફાળવી હોવાની ચર્ચા ચાલી રહી છે જેની બીજી બાજુ ઘેડ પંથકની નદીઓ ની સાફ સફાઈ થઈ ના હોવાથી પ્રિ મોન્સુન કામગીરી ફક્ત કાગળ ઉપર જ થઈ હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે.હાલ વરસાદ ના કારણે ઓઝત નદીમાં પાણી આવતા નદી છલકાઈ હતી અને આ પાણીથી પાકમાં નુકશાન ન થાય તે માટે માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે હાલ નદીમાંથી કચરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ અત્યારે હાલ જે સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો સરકારના પ્રિ મોન્સુન ની કામગીરીમાં નદી સાફ કરવામાં નહોતી આવી કે શું તેવા અનેક સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે.
એક તરફ ઘેડ પંથકમાં પાણી ભરાઈ ના રહે તે માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેવી વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ નદીમાં પાણી આવ્યા બાદ સફાઈ કરતા જોવા મળે તો શું પ્રિ મોન્સુન કામગીરી થઈ છે પછી તે ફક્ત કાગળ ઉપર જ થઈ છે તેવા અનેક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે.






