વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટ : પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા, અમદાવાદ ખસેડાયા

SHARE:

જેપુર ગામે સવારે ફ્રિજમાં થયેલા ધડાકાભેર વિસ્ફોટ બાદ ઘરમાં આગ ફાટી નીકળી — પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા, અમદાવાદ ખસેડાયા

લીડ…

વિજાપુર તાલુકાના જેપુર ગામે આંબાવાડીયા વિસ્તારમાં આજે સવારે એક ભયંકર ઘટના બની હતી. ગેસ ચાલુ કરતી વખતે રસોડામાં મુકેલા ફ્રિજમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં પિતા અને પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જી દીધો છે.

 વિગતવાર…

   માહિતી મુજબ, જેપુર ગામના રહેવાસી ગીરધર ભાઈ પટેલ સવારે ચા બનાવવા માટે ગેસ ચાલુ કરી રહ્યા હતા. એ સમયે નજીકમાં મુકેલા ફ્રિજમાં અચાનક ધડાકો થયો અને જોરદાર બ્લાસ્ટ થી રસોડામાં આગ લાગી ગઈ. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બારીના કાચ તૂટી ગયા અને બહાર મુકેલો ઝૂલો પણ આગની લપેટમાં આવી ગયો.

આકસ્મિક ધડાકા બાદ પડોશીઓ દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. દુર્ઘટનામાં ગીરધરભાઈ પટેલ અને તેમનો પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે ગીરધર ભાઈની પત્નીને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ફ્રિજમાં ગેસ લીકેજ કે ઇલેક્ટ્રિકલ ખામીથી વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે.ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે.જેપુર ગામમાં ફ્રિજ બ્લાસ્ટ ની આ દુર્ઘટનાથી ભય અને ચકચાર ફેલાઈ છે.

સ્થાનિક પ્રતિભાવ:

  ગામલોકો કહે છે કે ફ્રિજ માં આ રીતે વિસ્ફોટ થવાની ઘટના પ્રથમવાર જોવા મળી છે. લોકોમાં વીજળી અને ગેસ સાધનોની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!